
A good relationship requires more than true love. It also requires effort, patience, respect, and communication. Although each relationship is …
Stages of Relationships: The 5 Stages of Relationships, Dating a Narcissist, and More
A good relationship requires more than true love. It also requires effort, patience, respect, and communication. Although each relationship is …
Stages of Relationships: The 5 Stages of Relationships, Dating a Narcissist, and More
WordPress.com is excited to announce our newest offering: a course just for beginning bloggers where you’ll learn everything you need to know about blogging from the most trusted experts in the industry. We have helped millions of blogs get up and running, we know what works, and we want you to to know everything we know. This course provides all the fundamental skills and inspiration you need to get your blog started, an interactive community forum, and content updated annually.
આટલી બધી ગુલામી…!!!
હદ છે યાર..
એવું તો કંઈ હોતુ હશે?
ના…ના…તમે તમારા દિલને જ પુછો
દિવસમાં કેટલીવાર આઝાદ છો એવું ફીલ થાય છે??
સવારે ઉઠીને??
ના ના..
સવારે ઉઠતાવેંત તો વોટસએપ જોવું પડે છે, બધાને ગુડમોર્નિંગના મેસેજ ના મોકલું તો કેટલાય સગાવ્હાલાને વાંધો પડી જાય છે કે બસ અમને ભુલી ગયા ને?? સવારે તો હું વોટસએપનો ગુલામ છું.
તો પછી બપોરે જમતી વખતે??
ના ના ભઈ…
જમતી વખતે તો ખાવાના ફોટા પાડવાના હોય જ્..
જો રહી જાય તો ફેસબુક- ઈન્સ્ટા પર શું તંબુરો શેર કરુ??
તો પછી રાત્રે??
ના બાપા ના…
રાત્રે તો બધાના ફેસબુક સ્ટેટ્સ જોવાના હોય્,લાઈક્સ કમેન્ટસ કેટલુંય કામ કરવું પડે . ના કરું તો મારા હાળાઓ તલવાર લઈને બેઠા હોય છે, ક્યારે આપણું ડોકુ કાપી લ્યે કહેવાય નહી.
તો ભાઈ…તું આઝાદ નથી, વોટસએપ ફેસબુકનો ગુલામ છો એમ સીધુ સીધુ કહી દે ને…!
મારી વાત છોડ યાર ….તું તો ફેસબુકે લાંબા લાંબા સ્ટેટસ ચગાવે છે, શું તું ગુલામ નથી??
મારી તો તું વાત જ ના કર. હું તો ઝુકરનો એવો ગુલામ છું કે મને ક્યારેય પેરોલ પર પણ આઝાદી નથી મળતી. કૈક નવું શીખવા જાણવા ને મારા જુના સડી ગયેલા ગંધાતા વિચારોની ગુલામીમાંથી મુક્તિ મેળવવા અહીં આવેલો, પણ આવીને સાવ ઉલટુ જ થયું.મારે તો લોકો પેંડાની ય છાલ ઉતારે એવા મળ્યા, કૈક લખ્યા પછી એ પોસ્ટની પુરી ૧૦૮ પ્રદક્ષિણા કરવી પડે છે, બધીય બાજુ ફરી ફરીને જોઈ લઊ કે ક્યાંય ટેક્ષ્ચર ખરાબ હોય ને કોઈક છોલઈ તો નહીં જાય ને? રંધો ફેરવી ફેરવીને સુંવાળી કરેલી પોસ્ટમાંય લોકો ઘવાય. કેટલીયવાર વિચાર્યું કે સાલુ બળ્યા વિચારોના વંટોળથી દુર થઈ જાઊ ને સ્ટેન્ડ અપ કોમેડીયન જ બની જાઊ, પણ હમેંશા છોલીને જ ખાનારાઓ હસીમજાકને ય છોલી કાઢે છે.
બોલ થઈને આ મારી બૌધ્ધિક ગુલામી, ઝુકરને બૌ પાપ લાગશે દોસ્તીની આઝાદીના નામે મણ મણ સાંકળો પહેરાવી છે બધાને…!!
મહેરબાની કરીને આ પોસ્ટને કોઈ ના છોલસો. કોરોના આવ્યા પછી એમ પણ મન ખિન્ન રહે છે, એકલી એકલી બબડતી હોઉ છું, હવે આટલી આઝાદી મને કે બીજા કોઈને પણ મળવી જોઈએ કે નહીં? એમ પણ મને લાગે છે ફેસબુક એ સોશ્યલ ડીજીટલ ડાયરી છે, બોલો છે કે નહીં????
લોકસાહિત્યમાં બાર પ્રકારના વરસાદનું વર્ણન છે. ફરફર, છાંટા, ફોરા, કરા, પછેડીવા, નેવાધાર, અનરાધાર, મોલ મેહ , ઢેફાભાંગ, ટપાણ, હેલી , સાંબેલાધાર… !! અત્યારે વરસાદ જ્યારે આકાશમાંથી વહાલ વરસાવી રહ્યો છે એક જ વાત પર વિશ્વાસ બેસે છે કે ખેડુતની આંખમાંથી આંસુ ના પડે એટલે ઈશ્વર આકાશેથી આશીર્વાદ વરસાવી રહ્યા છે.
કોરોનાથી ડરોના…
આ વાતનો ભ્રામક પ્રચાર બહુ થયો, છતાંય હકીકત કૈક વેગળી જ છે.
આજના છાપામાં માત્ર ૩૪ વર્ષના યુવાને એને કોરોના થયો હશે એવા ભયના ઓથાર તળે આત્મહત્યા કરી લીધી એવા સમાચાર વાંચ્યા.
કોરોનાથી ડરવું નહીં એ સાંપ્રત સમયની જરુરીઆત છે, પણ આવી સુફીયાણી વાતોથી કાંઈ થવાનું નથી. વધતા જતા આવા આત્મહત્યાના કિસ્સાઓ સુર પુરાવે છે કે કોરોનાએ લોકમાનસમાં ભયંકર હાઊ ઉભો કર્યો છે.
ઈટલી અને ફ્રાન્સમાં કોરોનાનો કહેર ટોપ પર હતો ત્યારે સોશ્યલ મીડીયા પર જાતજાતની વીડીયો ફોરવર્ડ થયેલી. જેમાંથી કેટલીક વીડીયોમાં લોકો રસ્તા પર ચાલતાં ચાલતાં શ્વાસ રુંધાઈ જાય છે અને દમ તોડી દે છે, તો કેટલીક હોસ્પિટલો દર્દીઓથી કેવી રીતે છલકાય છે એ હતું , કેટલીક તો મૌત પછી કેવીરીતે ડેડબોડીનો નિકાલ કરે છે એ બતાવતી હતી. એટલે આમ જોવા જઈએ તો સોશ્યલ મીડીયાએ આપણા દિમાગમાં બોમ્બબ્લાસ્ટ કરીને એના લીરેલીરા ઉડાવી દીધા છે. ટૂંકમાં કોરોના કરતાં કોરોનાના પ્રચારે વાતનું વતેસર કરી નાખ્યું અને બચવાના ઉપાયોના બદલે ભયનો પ્રચાર વધી ગયો.
કોરોના થાય પછી દર્દી અને એના સગા કઈ કઈ યાતનામાંથી પસાર થતા હશે એ તો જે તે અનુભવી જ કહી શકે, પણ મને લાગે છે
ત્યાંસુધી કોરોનાની મોટી કરુણતા દર્દીની એકલા રહેવાની છે. પશ્ચિમના દેશોમાં તો કોઈ પણ સંજોગોમાં પેશન્ટ સાથે હોસ્પિટલમાં કોઈને રહેવાની છૂટ નથી પણ આપણે ત્યાં તો હોસ્પિટલમાં મેળાવડો જામે સગા-વ્હાલાનો. આપણા બ્રેઈનનું વાયરીંગ જ એવી રીતે થયું છે કે બિમારીમાં સગાવ્હાલા ઈવન દુશ્મન પણ પેશન્ટના ખાટલે આવીને બેસી જાય, કૈક વધુ પડતી જ વાતો ને ટોળટપ્પનો અવસર એટલે બિમારી એમ સમજનારા આપણને જ્યારે કોરોના થાય તો આઈસોલેશનના નિયમો પાળવા બહુ જ અઘરા પડે છે.
સતત ૧૪-૧૫ દિવસો સુધી પરિવાર કે મિત્ર કોઈને પણ મળવા પર પ્રતિબંધ આવી જાય, અરે ડોકટર કે હોસ્પિટલનો સ્ટાફ પણ સ્પેશિયલ કીટ પહેરીને એલિયન જેવા દેખાતા હોય અને એ પણ જરુરી ડીસ્ટન્સ રાખીને વાત કરે , આ એક સિચ્યુએશન કોરોના પેશન્ટ માટે અઘરી બની જાય છે. બાકી કોરોના પોઝીટીવ થયેલા કેટલાય લોકો બચી જ ગયા છે, ૭૦ થી ૮૦ વર્ષના વયસ્કોએ પણ કોરોનાને હરાવ્યો હોય ૯એવા દાખલા છે જ.
એક પોઝિટિવ અભિગમ એવો પણ રાખી શકાય કે કોરોના સજા કરવા આવ્યો નથી, કોરોના આપણને સબક સાથે સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા આવ્યો છે. કેટલીય સદીઓથી ચાલ્યા આવતાં કેટ્લાય રીતરીવાજો અને જડમાન્યતાઓથી મુક્ત કરવા આવ્યો છે.
બીજાની તો ખબર નથી પણ આપણા હિન્દુઓમાં જ માણસના મૌત પછીની એની ઉત્તરક્રીયાઓ કેટલી બધી ખર્ચાળ છે.
જાન્યુઆરીથી માર્ચ સુધીમાં મારા પરિવારમાં ચાર વડીલોએ એક્ઝીટ લીધી, દરવખતે પેલી બારમાની વિધિમાં ખાટલો ભરવાનો રિવાજ મને વ્યથિત કરતો રહ્યો. ફાની દુનિયા છોડી ગયેલ સ્વજનને વૈતરણી પાર કરાવવાના નામે દેવું કરતા દીકરાની દશા મને દઝાડતી.
કોરોના આવતા આ કુપ્રથા બંધ થઈ, એમ કહો કોરોનાએ આ એક કામ સારું કર્યુ. લગ્નો ને બીજા મેળાવડાના ખર્ચ પણ ઘટાડ્યા.
મારી બધી જ વાત બરાબર છે એવો કોઈ દાવો કરતો નથી, માત્ર મારો અભિગમ તમારી સાથે વહેંચ્યો છે. તમને જેટલું ઠીક લાગે તે અપનાવો, બાકીનું છોડી દો યા ભૂલી જાવ…
જતું કરવું અને ઝુકી જવું …
બંને માં પાયા નો તફાવત છે, અનુભવો આપણ ને ઘણું શીખવે છે, વિચારતા પણ કરે છે, ઘણી બાબતમાં મોટું મન રાખી જતું કરીએ ત્યારે સામી વ્યક્તિ આપણી લાગણી નો, આપણી ઉદારતા નો ગેરલાભ લે છે અને એવા વાવાઝોડા સામે ઝુકાય નહિ , ક્યારેક લાગણી ને આરામ આપી અને સબક શીખડાવવા પડે પછી સામે બ્લડ રિલેશન્સ વાળી વ્યક્તિ હોય કે અન્ય મિત્ર કે સંબંધી .
ઈશ્વરે પ્રત્યેકને કંઈક ને કંઈક શક્તિ આપી છે, જે અન્ય થી અલગ છે. આ શક્તિ ને ઓળખી એનો ઉપયોગ કરવાનો છે . જતું કરવાની ભાવનામાં તમારી આ શકતિને જડબેસલાક તિજોરીમાં બંધ કરી રાખશો તો સલામત જરૂર રહેશો પણ સંકોચાઈ જશો….જિંદગી ના આ જતું કરવાના નિર્ણય પર એક સમયે મુસ્તાક હોતા એ જ તમને ખોટો લાગવા માંડે તો નવાઈ નહીં. …
વાઈસ અ વર્સા…સબક શીખવવા લીધેલ નિર્ણય તમારા અસ્તિત્વની. ..તમારા ગૌરવની આધારશીલા બની જાય..!
-Rita
આજે આંબેડકરજયંતિ….
મારુ નૉલેજ કહે છે ત્યાસુધી આંબેડકરે જ્ઞાતિભેદ મીટાવવા ખુબ કોશિશ કરી હતી…છ્તાપણ મને આજ સુધી સમજાયુ નથી કે મુસ્લિમોની દ્રશ્ટીએ અમે હિન્દુઓ કેવા છીએ..??અને આજના હિન્દુ કેવા છે તેની પણ મને ખબર નથી…!!
વાત ૧૯મી સદીના મધ્યકાળની છે…કાઠીયવાડના ગૉંડલના રાજવી સીમાડામા એક નાનુ ગામ્…જેનુ નામ ‘પાનેલી’
પુંજો વાલજી ઠક્કર નામનો એક હિન્દુ લવાણો આ ગામમા પરિવાર સાથે રહેતો.પુંજાનો પરિવાર ચુસ્ત વૈષ્ણવધર્મી હતો.અંગ્રેજોની ગુલામીના વર્ષોમા પરિવારના રોટલા પુરા કરવા પુંજો વેરાવળ-પોરબંદર જેવા સ્થળેથી સુકી માછલીઓ વેચવાના વેપારમા પડ્યો.
વૈષ્ણવ કુટુંબમા પુંજા જેવો કપાતર પુત્ર પાકે જે માછલાનો વેપલો કરે તે હિન્દુઓને ક્યારેય માન્ય ન હતુ…આવો ધ્ંધો તો મુસ્લિમ્-ખોજાઓ જ કરતા…તે સમયના હિન્દુઓએ પુંજાને ન્યાતબહાર જાહેર કર્યો, સગાવહાલા તથા પડોશીઓ તેની સામુ થૂ થૂ કરતા. આમ તરછોડાયેલો પુંજો ખુબ ગુસ્સામા રહેવા લાગ્યો.
પરિવારના પેટનુ પુરુ કરવાની આટલી મોટી સજાએ તેને ઝનુની બનાવી દીધો અને એક દિવસ આદમજી આગાખાનની મહેરબાની મેળવી ઇસ્લામધર્મ અંગીકાર કરી લીધો..
રઘુવંશી લોહાણો પુંજો દિવસમા બે વાર ઈબાદત કરતો,અને બંધ બારણે તેની પત્ની શ્રીકૃષ્ણ શરણં મમ…ના જાપ કરતી,તહેવારો નિમિત્તના દરેક ઉપવાસ – એકટાંણા કરતી,ગાય-વાછ્ડાનુ પુજન અને તુલસીનુ પુજન તે કયારેય ચુકતી નહી. આવી દોજખભરી જીન્દગી પુંજો લાબુ જીરવી શક્યો નહી . તે સમયના હિન્દુધર્મના વડા વલ્લભકુળના વારસદાર આચાર્યમહારાજ પાસે માફી માગવા પહુચી ગયો.
મહારાજશ્રીએ પુંજાને હિન્દુ ધર્મમા પાછો લેવાની ધરાર ના પાડી દીધી..પુંજો સડક થઈ ગયો.
પુંજાના પશ્ચાતાપમા પ્રેમની સચ્ચાઈ હતી પણ પ્રતિસાદ ના મળતા તેના પરિવારે ધર્મપરિવર્તન સ્વીકારી લીધુ.આ પુંજાને ત્રણ પુત્રો- ગાંગજી,નથ્થુ અને ઝીણીયો…
આ પુંજો વાલજી એટલે બીજુ કોઇ નહી પણ ‘મહમદ અલી ઝીણા’ ના દાદા…
કાશ…..જે તે સમયે આવી કોઇ ધાર્મિક જડતાઓ/ભેદભાવ ના હોત તો આજે પણ ભારત-પાકિસતાન એક હોત્….કાશ્..
-rita
સમયનો સ્વભાવ છે સતત સરકતા રહેવાનો. દરેક વર્ષે એવું જ લાગે કે નવું વર્ષ બહુ જલ્દી આવી ગયું. હજુ કાલે તો જાણે મિલેનિયમ-૨૦૦૦ ની જોરશોરથી ઉજવણી કરેલ ને આજે ૨૦૨૦..!! વીસ વર્ષનો ગાળો જાણે વીસ દિવસમાં વીતી ગયો. હજુ થોડા વર્ષો પહેલાં નવાવર્ષ ટાણે સારા કેલેન્ડરની શોધ રહેતી હવે બધું જ ડિજીટલ થઈ ગયું.આપણા બધાની લાઈફ પણ ડિજીટલ થઈ ગઈ. ગ્રીટીંગ કાર્ડસ ને કેલેન્ડર ડીજીટલ થઈ ગયા. ડીજીટલ શુભેચ્છાઓનો ધોધ વોટસએપ પર અને ફેસબુક-ઈન્બોક્સ પર વહેતો જ રહે છે, ફેસ્ટીવલના દિવસોમાં તો ફોનને અસ્થમા થયો હોય એવી રીતે રીતસર હાંફતો હોય છે. વાર-તહેવારના દિવસોમાં ફોનને ઓવરઈટીંગ થઈ જતાં પાચન કે જુલાબની ગોળીએ કામ ના પતે તો એનિમા પણ આપવો પડે છે. આજની આ વર્ચ્યુઅલ દુનિયામાં બધાને કોઈપણ રીતે કોઈપણ ભોગે કનેકટેડ રહેવું છે. આ કનેક્ટેડ રહેવાની લ્હાયમાં જ કોઈની પણ સાથે “એટેચ્ડ” રહી શક્તા નથી. સમય જે જન્મની સાથે આપણને મફત ભેટરુપે મળે છે એની આપણે કિંમત અંદાજી શક્તા નથી. જેને સમય આપવો જોઈએ એને આપતા નથી અને જેને આપણા સમયની પરવા નથી એની પાછળ સમય વેડફતાં રહીએ છીએ.
સમયની ફિતરત છે સરકતા રહેવાની, એક રિધમમાં એ સતત ચાલતો રહે છે,બધું જ બદલાતું રહે છે.અલગ અલગ રુપ ધરીને સમય આપણને નચાવતો રહે છે. રંગ બદલવામાં સમય કાચિંડાને પણ મ્હાત આપી શકે એમ છે. આપણામાં પણ ઘણું બધું સમય સાથે બદલાતું જ રહે છે. ઝુકરની આપેલ મેમરીમાં ડોકીયું કરીએ તો મગજ સુન્ન થઈ જાય કે આપણે આવા હતા?? માત્ર મિત્રો જ નહીં આપણા વિચારો, પસંદગી અને આપણા શબ્દો પણ કેટલાં બદલાઈ ગયા..!! કેટલીકવાર તો સાવ અપસાઈડ ડાઉન થઈ ગઈ હોય એમ લાગે. આમ છતાંય અમુક બેઝીક છે જે નથી બદલાતું, બસ એ સુષુપ્ત અવસ્થામાં જતુ રહ્યુ હોય છે.એને ફરી ધબકતું કરવા બસ એક હળવા ધક્કાની જરુર હોય છે.દુનિયાની કોઈપણ ફિલોસોફીને લઈ લ્યો,દરેકમાં એક્વાત કોમન જોવા મળશે કે “લીવ એન્ડ લેટ લીવ” કેટલી સામાન્ય લાગતી આ વાત આપણે અપનાવી શક્તાં જ નથી.
આમ તો નવા વર્ષમાં લોકો રીઝોલ્યુશન્સ(સંકલ્પ) કરતાં હોય છે કે આટલું આટલૂ કરવું છે અને ફલાણું ફલાણું નહીં જ કરું , જે બે-ચાર દિવસમાં જ કડડભુસ થઈને તૂટી જાય છે માટે મારે કોઈ સંકલ્પ કરવો નથી.
પણ હા…
એક કોશિશ કરવી છે…
થોડુંક હસવાનું વધારવું છે, અડધી સદી વિતાવી ચુકેલી, બોનસ જેવી આ જિંદગીને થોડીક વધુ જીવવી છે.
દિવાળીની શુભેચ્છા મુલાકાતના બહાને અમદાવાદમાં એક પટેલ પરિવારના ઘરે જવાનું બન્યું. આ વર્ષે ઓકટોબર-નવેમ્બરમાં પણ વરસાદના કારણે અમુક શાકભાજીના ભાવ આસમાને છે, ત્યારે આ યજમાને રીંગણ-ટમેટા-કારેલા-દુધી અને મરચાનો ઢગલો મને ભેટરુપે આપ્યો.
મારા કુતુહલને સંતોષવા તેઓ મને એમના ‘કીચનગાર્ડન’ માં લઈ ગયા.
સામાન્ય રીતે આપણે ત્યાં હોય છે એમ કીચન-ડાઈનીંગ એરિયાની બહાર પાંચ-સાત ફુટનો લાંબો પટ્ટો જેને ફેન્સીભાષામાં બેકયાર્ડ કહેવાય અને અમે દેશીલોકો ચોકડીનો એરિયા કહીએ એ જ્ગ્યામાં આ ખેડૂતપુત્ર પરિવારે કયારી અને કેટલાક કુંડા મુકી રોજબરોજની શાકભાજીનો બગીચો જ બનાવી દિધો.
પરીકથા જેવું લાગે છે ને??
પણ સાચ્ચે જ રસોડાથી ખેતર માત્ર દસ ડગલાં દુર સર્જી દીધેલું છે. ટમેટા રીંગણ ગવાર મરચાં દુધી કારેલા મેથી પાલખ લીંબુ ડુંગળી લસણ કોથમીર જેવી કેટલીય શાકભાજી કેટલી નાની જગ્યામાં ઉગાડેલી છે. મજાની વાત તો એ છે કે પરિવાર આખોય નવરાશની પળોમાં આ ખેતીની પ્રવૃતિનો આનંદ લે છે. રોજીંદી વપરાશનું મોટાભાગનું શાકભાજી એ ઘરે જ ઉગાડી લે છે અને વાપરતા વધે એ સગા-વહાલાઓને વહેંચી દઈ સંબધોની ગાંઠ મજબુત બનાવે છે. વાતો વાતોમાં એમણે કહ્યુ કે ટચુકડા ઈઝરાયેલમાં લોકો એકે એક ઈંચ જગ્યા એગ્રીકલ્ચરમાં વાપરે છે. ત્યાં દરેકના ઘર-બાલ્કની-ટેરેસમાં કોઈને કોઈ રીતે પ્લાન્ટ ઉગાડેલા જ હોય્. ત્યાં માત્ર દેખાવ માટેના ફુલછોડ ઓછા જ જોવા મળે, દરેક વ્યક્તિ પોતને જોઈતું અનાજ જાતે જ ઉગાડી લ્યે છે.
ખૂબ ગમી ગઈ આ વાત..!!
આપણે પણ આપણી અંદરના સર્જકને આપણી અંદરના ખેડુતને જાગ્રત કરવાનો સમય આવી જ ગયો છે.
વધતીજતી મોંઘવારી કરતાય મોટો પ્રશ્ન છે રાસાયણિક ખાતર અને દવાઓની આડઅસરથી બચવાનો ઉપાય શોધવો એ. દરેક વ્યક્તિ ફ્લેટ હોય કે ઓટલા-ઓસરીવાળુ ઘર….રોજીંદી જરુરિઆતનું શાકભાજી જાતે જ ઉગાડી લેવાનો શોખ
ઝનૂનથી અપનાવી લઈ ભવિષ્ય માટે તૈયાર થવાની ખૂબ જરુર છે.
નાની હતી, સ્કૂલમાં ભણતી હતી ત્યારે ‘મારો પ્રિય તહેવાર’ પર નિબંધ લખવાનો હોય તો દિવાળીના તહેવાર પર ચારપાના લખી કાઢતી, મને યાદ છે એક વાર આટલો લાંબો નિબંધ લખવા બદલ સજા રુપે ઝીરો માર્ક્સ મળેલા.
ટીચરમેમ વસુધાબેને ધમકાવીને કહેલું કે શું મારે તારી એકલીનું પેપર ચેક કરવાનું છે??
ખેર, એ તો લખવા ખાતર લખેલો નિબંધ હતો,અસલમાં દિવાળી કરતાં મને દિવાળીની તૈયારી રુપે થતાં જાતજાતના નાસ્તાનો મોહ, કેટલી બધી મહેનત કરીને મઠીયા-સુંવાળી વણ્યા હોય, જેવા તળવાનું શરુ થાય એ સાથે મારું ઝાપટવાનું પણ શરુ થઈ જતું. મંમી કે દાદીમા જે કોઈના ઘરે મળવા જાય દરેક વખતે એમની સાથે જવાનું અને બધાના ઘરના મઠીયા-સુંવાળીની પ્લેટો ખાલી કરવાની જ્.
બીજો ખુબ ગમતો તહેવાર હતો આ રાંધણછઠ-સાતમ. (જોકે એના પર નિબંધ લખ્યો નહતો.)
સવારથી મંમીનું કીચન ચાલુ થઈ ગયું હોય. પુરી-ઢેબરા-વડા-કંકોડાનું શાક-દુધપાક અને ઘેંશ..( હા.ઘેંશ..કણકીને છાશમાં રાંધીને કૈક મસ્ત બનતું જેનું નામ આ જ હતું) પુરી પણ મસાલાવાળી અને ગળી એમ બે પ્રકારની બનતી.
સાતમના દિવસે મંમી શીતળાસાતમની પુજા કરીને અમને હાથમાં કંકુવાળા ચોખા આપે, જમણા હાથમાં રાખીને ડાબા હાથથી ઢાંકી સાતમની વારતા સાંભળવાની.
છેલ્લે બોલે…જેવા શીતળામાને ફળ્યા એવા બધાને ફળજો.
ત્રીસ વર્ષ થયા મંમીના હાથનું ઠંડુ ખાધે…!!
ત્રીસ વર્ષ થયા મંમી ની કહેલી વારતા સાંભળ્યે…!!
લગ્ન પછી સાસુમાના ઘેર આગલા દિવસે બનાવીને બીજા દિવસે ખાવાનો રિવાજ જ ના હતો. સાસુમાના ઘેર ૩૬૫ દિવસ ચુલો પેટવવાનો, રોજ રસોઇ કરવાની અને રોજ ખાવાની.
જીવનમાંથી નીકળી ગયેલા આ તહેવારની સોડમ આજે પણ એટલી જ તરોતાજા છે, આજે પણ ગળીપુરીની મહેંક દિલને લુભાવે છે, અડોશ-પડોશમાં તળતા ઢેબરાની સુગંધ મંમી પાસે પહોંચાડે છે.
હેપ્પી રાંધણછઠ